ફૂટબોલર રોનાલ્ડોએ કેરળ પૂર પીડિતોને આપ્યા 77 કરોડ, જાણો શું છે સત્ય
Kerala |
સ્પોર્ટ્સ ડેસ્ક: કેરળમાં પૂર પીડિતોની મદદ માટે આખો દેશ એક થઇ ગયો છે. દેશ-વિદેશમાંથી કેરળની મદદ માટે લોકો આગળ આવી રહ્યાં છે.ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી ટેસ્ટ મેચની ફી કેરળના પૂર પીડિતોને દાન કરી છે. બીજી તરફ સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કેરળના પૂર પીડિતોની મદદ માટે 77 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. રોનાલ્ડોએ 1.2 મિલિયન અમેરિકન ડોલરની મદદના સમાચાર સતત વાયરલ થઇ રહ્યાં છે.કેટલાક દિવસ પહેલા ઇંગ્લેન્ડની ફૂટબોલ ક્લબ લીવરપૂલ અને સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સિલોનાએ પણ પૂર પીડિતોની મદદની જાહેરાત કરી હતી.
રોનાલ્ડોએ કેરળ પુરગ્રસ્તતોને આપ્યા 77 કરોડજોકે, આ સમાચાર સાચા છે કે ખોટા તેની હજુ સુધી પૃષ્ટી થઇ શકી નથી. આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે કેટલાક ફેન્સે ટ્વીટ કરી રોનાલ્ડોને કેરળના પૂર પીડિતોની મદદ કરવા આહવાન કર્યુ હતું.રોનાલ્ડો પહેલા પણ પોતાની ચેરિટેબલ સંસ્થાના માધ્યમથી જરૂરીયાતોની મદદ કરતો રહ્યો છે. આ ટ્વિટની થોડી વાર બાદ જ કેટલાક એવા ટ્વિટ સામે આવ્યા જેમાં કહેવામાં આવતુ હતું કે રોનાલ્ડો પહેલા જ કેરળના પૂર પીડિતોની મદદ માટે 77 કરોડ રૂપિયા દાનમાં આપી ચુક્યો છે.કેટલાક ફેન્સ રોનાલ્ડો તરફથી કરવામાં આવેલુ ગુપ્ત દાન પણ ગણાવી રહ્યાં છે.
Thank you for comment ConversionConversion EmoticonEmoticon