ખેડૂતો માટે ખુશીના સમાચાર ખેડૂતોને વધુ 2 કલાક વીજળી આપવાનો સરકારે કર્યો નિર્ણય
Gujarat farmers |
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર વતી ઊર્જા મંત્રી સૌરભ પટેલે આ મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી જાહેરાત કરી છે. તો આ નિર્ણયને કારણે 15 લાખ જેટલા ખેડૂતોને લાભ મળશે અને 8 કરોડ યુનિટ વીજળીનો કુલ વપરાશ થશે.
👆અમારી ન્યુઝ અેપ અહીંથી ડાઉનલોડ કરો👆 |
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી પણ વધુ સમય વિત્યો હોવા છતાં વરસાદનું વાતારણ જોવા નહીં મળતા ગુજરાતની પ્રજા સહિત સરકાર પણ ચિંતામાં મુકાઇ હતી. સીઝનની શરૂઆતના તબક્કામાં જે પ્રકારે વરસાદ પડ્યો હતો તેનાથી લોકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું તો છેલ્લા કેટલાક સમયથી વરસાદ પાછો ખેંચાતા રાજ્ય સરકાર વતી આજે ઊર્જામંત્રી સૌરભ પટેલે ખેડૂતોલક્ષી નિર્ણય લીધો હતો.
ગાંધીનગર ખાતેથી રાજ્યના ઊર્જામંત્રીએ ખેડૂતોને વધારાના 2 કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. જેના કારણે ખડૂતોમાં ખુશીનું મોજું જોવા મળ્યું છે.
Thank you for comment ConversionConversion EmoticonEmoticon