Amazon Best Discount Deals

અચાનક ST બસ બળીને થઇ ખાખ, મુસાફરોના જીવ થયા અધ્ધરતાલ તમામ મુસાફરોને હેમખેમ બચાવ

સુરેન્દ્રનગરઃ ST બસમાં ગુરૂવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે. જૂનાગઢ- દિયોદક રૂટની ST બસમાં આગ લાગી છે. રાજકોટ રોડ પર આવેલ નવા સર્કિટ હાઉસ પાસે એકાએક આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
                        જોત જોતામાં આખી બસ બળીને ખાક થઇ ગઇ હતી. જોકે ડ્રાઈવરની સમય સૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ કાબૂમાં લેવામાં આવી હતી.

         ઉલ્લેખનીય છે કે, એસટી બસોમાં અનેક ઘટનાઓ સર્જાવાની ઘટનાઓ સામે આવે છે. પરંતુ આ દરમિયાન ઓચિંતા બસમાં આગ લાગતા લોકોમાં આશ્ચર્ય અને ભયનો માહોલ બન્યો છે.

જૂનાગઢ-દિયોદર રૂટની એસટી બસમાં અચાનક આગ લાગી હતી. અને બસમાં સવાર મુસાફરોના જીવ અધ્ધર તાલ થઇ ગયા હતા. જો કે, ડ્રાઇવરે સમયસર નિર્ણય લેતા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો
          Post by.. P. S. Patel.. 
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon