આરિફે નિર્ણય કરવાનો હતો- ધર્મ કે માણસાઈ, આખરે અજય માટે તોડી નાખ્યા રોજા
દેશમાં જ્યાં રાજકારણ માટે જાતિ અને ધર્મને લઇને ભેદભાવની તમામ સરહદો ઓળંગવામાં આવી રહી છે, ત્યારે દહેરાદૂનથી એક એવો મામલો સામે આવ્યો છે કે જે તમારું દિલ જીતી લેશે. અહીંયા એક મુસ્લિમ વ્યક્તિએ રમજાનના પાક મહિનામાં પોતાના રોજા તોડી નાખ્યા, કારણકે એક હિંદુ યુવકનો જીવ જોખમમાં હતો. 20 વર્ષના અજય બિજલ્વાણને લિવરમાં ઇન્ફેક્શન થઇ ગયું હતું. તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ અજયના પરિવારજનોને બને તેટલું લોહી ભેગું કરવાની માંગ કરી કારણકે લિવરમાં ઇન્ફેક્શનના કારણે તેના લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા ઝડપથી ઘટી રહી હતી.
સોશિયલ મીડિયા પર મદદ માંગવાનું કર્યું સૂચન
અજય માટે એક-એક મિનિટ કિમતી હતી. સહેજ પણ મોડું થાય તો તેનો જીવ જઇ શકે તેમ હતો. સૌથી મોટી સમસ્યા હતી કે અજયને A+ બ્લડ ગ્રુપનું લોહી જોઇતું હતું, જે ઘણા પ્રયત્નો પછી પણ મળી નહોતું રહ્યું.આવી પરિસ્થિતિ જોઇને અજયના પરિવારજનો ઘણા પરેશાન થઇ ગયા. ઘણી કોશિશો પછી પણ જ્યારે A+ લોહીની વ્યવસ્થા ન થઇ શકી તો કોઇ વ્યક્તિએ અજયના પિતાને સોશિયલ મીડિયા પર મદદ માંગવાનું સૂચન કર્યું.
Thank you for comment ConversionConversion EmoticonEmoticon