CM રૂપાણીએ સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાત લઇ વરસાદની સ્થિતિનો મેળવ્યો તાગ
ગાંધીનગર: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવને કારણે રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે. ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમ ખાતે વરસાદને લઈ બેઠક મળી હતી. મુખ્ય સચિવ જે.એન.સિંહના અધ્યક્ષતા બેઠક મળી હતી.ગાંધીનગર ખાતે આવેલ સ્ટેટ કંટ્રોલ રૂમ ખાતે આજરોજ યોજાયેલ આ બેઠકમાં રાજ્યના રાહત કમિશનર અને NDRFના અધિકારી સહિત મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પણ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં રાજ્યમાં પડી રહેલા વરસાદને લઈ ચર્ચા કરવામાં આવી હતી. તો જ્યાં સ્થિતિ વિકટ બની છે ત્યાં કઈ રીતે મદદ પહોંચાડી શકાય તેને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વિશેષ હાજરીમાં મળેલ આ બેઠકમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વરસાદે કરેલ જમાવટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો આ સાથે જ વરસાદને પગલે રાજ્યના કેટલા વિસ્તારમાં નુકસાન થયેલ છે તે અંગેનો તાગ પણ મેળવવામાં આવ્યો હતો.
Heir remover |
આપને જણાવી દઇએ કે, ગાંધીનગર ખાતે આવેલ કંટ્રોલરૂમમાંથી રાજ્યના મુખ્યપ્રધાને રાજ્યના વરસાદ અને તેનાથી થયેલ નુકસાન અંગેનો તાગ મેળવ્યો હતો તો આ સાથે 15 NDRF ટીમ ખડેપગે હોવાની માહિતી પણ આપવામાં આવી હતી.
Thank you for comment ConversionConversion EmoticonEmoticon