થરાદ તાલુકાના મીયાલ ગામે બે જૂથો વચ્ચે મારામારીમાં ત્રણ વ્યક્તિ ઘાયલ
indiannews.online | report tharad
થરાદ તાલુકાના મીયાલ ગામના ત્રણ શખસો રવિવારે સવારે ખોડા થઇ મડાલ ગામે લગ્ન પ્રસંગે જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં પાંચ શખસોએ રોકાવી અપશબ્દો બોલી ધારીયું, લાકડીઓ અને લોખંડની પાઇપો વડે ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્તોના સારવાર અર્થે ખસેડાયા હતા.થરાદ તાલુકાના મીયાલ ગામના ચેનાજી, પુનમાજી અને મોગાજી આ ત્રણ શખસો રવિવારે સવારે ખોડા થઇ મડાલ ગામે ગાડી લઇ લગ્ન પ્રસંગે જઇ રહ્યા હતા. ત્યારે ખારાખોડા રોડ પર નાળા પાસે તેમના જ ગામના સંતાયેલ ધનાભાઇ પટેલ, દીપાજી ધનાજી પટેલ, પ્રહલાદજી ધનાજી પટેલ તેમજ બે અજાણ્યા એમ પાંચ શખ્સો ટ્રેકટર સાથે રસ્તા વચ્ચે ઉભેલા અને ગાડી રોકાવી અને કહેલ તમો કેમ ભૂરાભાઇને ત્યાં લગ્નમાં જાઓ છો\' અને આ ત્રણેય લોકોએ ના પાડી કે અમો તો મડાલ લગ્નમાં જઇએ છીએ. તેમ કહેતા આ પાંચેય ઈસમો ઉશ્કેરાઇ અપશબ્દો બોલી ધારીયું, લાકડીઓ અને લોખંડની પાઇપો વડે ઘાતકી હુમલો કર્યો હતો.
loading...
જેમાં ધનાભાઇને ધારીયું હાથના ભાગે અને બે લોકોને લાકડીઓ અને પાઇપો વડે ઘાતકી હુમલો કરી ફરાર થઇ ગયા હતા. આ હુમલામાં ત્રણ લોકોને ઇજાઓ થતાં આજુબાજુના લોકોએ તેમના પરિવારને જાણ કરતાં ઇજાગ્રસ્તોને 108 દ્વારા થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તના પુત્ર સમરથભાઇ ચેનાભાઇએ થરાદ પોલીસ મથકે પાંચ શખસો ધનાજી હેમરાજજી પટેલ, દીપાજી ધનાજી પટેલ, પ્રહલાદજી ધનાજી પટેલ અને બે અજાણ્યા શખસો (તમામ રહે.મીયાલ,તા.થરાદ) સામે ફરિયાદ નોંધાવી હતી.👆 वेलाराम पटेल जाडरा मारवाडी भजन👆
Thank you for comment ConversionConversion EmoticonEmoticon