રાષ્ટ્રીય કિસાન મહાસંગઠન દ્વારા હડતાળ, ગુજરાતના તમામ ગામડામાં બંધનું એલાન
ગાંધીનગરઃ ખેડૂતોની સમસ્યા મુદ્દે આજે રાષ્ટ્રીય કિસાન મહાસંગઠન દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય કિસાન મહાસંગઠન દ્વારા ખેડૂતોને શાકભાજી, દૂધ અને અનાજ ન વેચવા માટે અપીલ પણ કરવામાં આવી છે. ભાજપ સરકાર દ્વારા ખેડૂતો સાથે અન્યાય કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. જેના કારણે એક દિવસીય પ્રતિક ઉપવાસનુ એલાન પણ કરવામાં આવ્યુ છે.
દેશભરમાં હડતાળના પગલે વહેલી સવારે નાસિક પાસે શાકભાજીના ટ્રક રોકવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કિસાન સંગઠને આક્ષેપ કર્યો છે કે, કેન્દ્ર સરકારે ખેડૂતોને સકંજામાં લેવા પ્રયાસો કર્યા છે. અનેક સમસ્યાઓને લીધે ખેડૂતો બેહાલ બન્યા છે. રાજકીય દબાણ હેઠળ સરકાર ભૂમિ અધિગ્રહણ જેવા કાળા કાયદા ઘડી રહી છે.મોદી સરકારને 4 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. ત્યારે સ્વામીનાથન કમિટીની ભલામણનો સ્વીકાર કરાયો નથી. ત્યારે ખેત ઉત્પાદનના દોઢ ગણા ભાવ આપવાના વાયદા હજુ કેન્દ્ર સરકારે પાળ્યા નથી. ત્યારે ખેડૂતોએ હવે સરકાર સામે મોરચો માંડ્યો છે.
Thank you for comment ConversionConversion EmoticonEmoticon